Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાજકોટ શહેર પોલીસ દ્વારા ૨૧ ઓક્ટોબર (પોલીસ સંભારણા દિવસ)થી ૩૧ ઓક્ટોબર (રાષ્ટ્રીય એકતા દિવસ) દરમિયાન ઉજવણી થશે

રાજકોટઃ ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ લદાખના હોટ સ્પ્રિંગ ખાતે સી.આર.પી.એફ. ના જવાનોની ચોકી ઉપર ચીન દ્વારા મોટી સંખ્યામાં ઘાત લગાવી હુમલો કરવામાં આવેલ જેમાં દેશ માટે બહાદુરી પુર્વક લડતા ભારતના દશ સી.આર.પી.એફ. જવાનો શહીદ થયેલ હતા જેઓની બહાદુરીને યાદ કરી ભારતમાં ૧ ઓક્ટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરી ભારત દેશના સુરક્ષા દળના શહીદ થયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓને યાદ કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે.

૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે કોઈપણ દેશનો આધાર તેની એકતા અને અખંડિતતામાં રહેલો છે. ભારત દેશ ઘણા વર્ષો સુધી ગુલામ રહ્યો હતો. આનું સૌથી મોટું કારણ લોકોમાં એકતાનો અભાવ હતો. આ ઉપરાંત અખંડ ભારત પર ઘણા અલગ અલગ દેશી રજવાડાઓનું શાસન હતું. આને કારણે, ભારતમાં વિવિધ જાતિઓ વિકસિત થઈ શાસનમાં પરિવર્તન અને વિચારોમાં તફાવતોને કારણે મતભેદો ઉભા થયા અને દેશ અલગ-અલગ ટુકડાઓમાં વહેચાયેલો હતો દેશનો વિકાસ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડિતતા માત્ર એકતાના કારણે જ શક્ય છે જાતિવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના ના લીધે દેશની એકતા નબળી થાય છે દેશના સરદાર વલ્લભભાઇ પટેલ તથા અન્ય મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પ્રથમ આ મુશ્કેલી ઘટાડવાનો પ્રયાસ કર્યો અને દેશમાં સૌપ્રથમ લોકોને એકતાનું મહત્વ જણાવ્યું હતું અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓએ દેશને એકજુથ કરવા માટે પર દેશી રજવાડાનુ એકીકરણ કરવા ખુબજ મહત્વની ભુમીકા ભજવેલ જેના પરિણામે આપણે હાલ અખંડ ભારતમાં વશીએ છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા તે સમયે તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા દેશ માટે કરવામાં આવેલ કાર્યો મુજબ તેઓની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બને અને દેશમાં એકતાનો સંદેશો ફેલાત તે સ્વપન જોયેલ તે મુજબ કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચાઇની પ્રતીમાંનુ નિર્માણ થયેલ જે વિશ્વની સૈાથી ઉંચી પ્રતીમાં છે જે એક પર્યટનનુ ખુબજ સારુ સ્થળ બનેલ છે. સને ૨૦૧૪ માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારતની એકતા અખંડિતતા અને સલામતી જળવાય રહે તે માટે ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવેલ.

આ વખતે પણ ૨૧ ઓક્ટોબર પોલીસ શહીદ સંભારણા દિવસ થી ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન કરી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે જેમાં ૨૧ ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ, સયુંકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ સાહેબ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવીણકુમાર મીણા સાહેબ ઝોન-૧, નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન-ર તથા રાજકોટ શહેરના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે શહીદ સ્મારક ખાતે શહીદોને યાદ કરી રાજકોટ શહેર પોલીસ પરીવારના કોરોના વોરીયર એ.એસ.આઇ. સ્વ. શ્રી અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. શ્રી રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી પ્રધુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણ થતા તેઓનુ દુઃખદ અવસાન થયેલ તેઓને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવનાર છે.

તેમજ શહીદ સંભારણા દિવસના રોજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટ શહેરના શહીદ એ.એસ.આઇ. સ્વ. શ્રી અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. શ્રી રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલ ના ફોટોગ્રાફ પો.સ્ટે.માં લગાડી તથા રાજકોટ શહેર પોલીસ દ્વારા શહીદ પોલીસ કર્મચારીના ગામની મુલાકાત લઇ તેમના દ્વારા કરેલ સારા કાર્યોને તેમના વિસ્તારમાં પ્રસાર કરવામાં આવનાર છે તેમજ ડીજીટલ ગ્રંથની માહિતીના આધારે પ્રદર્શનનું આયોજન કરવામાં આવનાર છે તેમજ શહીદ પોલીસ કર્મચારી જે શાળામાં અભ્યાસ કરતા તે શાળાનું નામ અથવા તેમના શહેર /ગામના કોઇ એક રસ્તાનુ નામાભીધાન શહીદના નામપર થી કરવામાં આવનાર છે.

રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ચિત્ર સ્પર્ધા, રાષ્ટ્ર નિર્માણમાં પોલીસનું યોગદાન વિષય પર વ્યાખ્યાન, નિબંધ તથા સમાજમાં પોલીસની ભુમીકા પર વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવનાર છે અને જેમાં સ્પર્ધાના વિજેતાનું સન્માન કરવામાં આવનાર છે. તેમજ પોલીસ મુખ્ય મથક ખાતે રાજકોટ શહેર પોલીસ પાસે ઉપલબ્ધ હથિયારો, કોમ્બેટ વ્હીકલો તથા અગત્યની સાધન સામગ્રીનું પ્રદર્શન તથા આંતકવાદી હુમલો તથા કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા મોકડ્રીલ નુ આયોજન કરવામાં આવનાર છે જેમાં શાળાના વિધાર્થીઓ તથા એસ.પી.સી. ના કેડેટને આમંત્રીત કરવામાં આવનાર છે. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા ૩૧ ઓક્ટોબર અનુસંધાને રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ રાજકોટ શહેર પોલીસ મુખ્ય મથક ખાતે તા.૧૦/૧૦/૨૦૨૧ ના રોજ રાજકોટ રેન્જ અને ઝોનલ કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જીલ્લાની પાંચ સ્કુલોના વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ જેમાં રાજકુમાર કોલેજ મહિલા વિભાગ પ્રથમ તથા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ બોયઝ વિભાગમાં પ્રથમ આવેલ.

૩૧ ઓક્ટોબર ના રાષ્ટ્રીય એકતા દિવસ અનુસંધાને મોટર સાયકલ રેલીનુ આયોજન કરવામાં આવેલ છે જે રાષ્ટ્રીય એકતા અંગેની મોટર સાયકલ રેલી દરમ્યાન પ્રજાજનોને દેશની એકતા અને અખંડીતતા માટે સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા જે અથાગ પ્રયાસો કરવામાં આવેલ અને જેના પરિણામે ભારત દેશ અખંડ ભારત બની રહેલ છે અને દેશમાં એકતાનું વાતાવરણ ફેલાયેલ છે તે જળવાય રહે તે અંગે લોકજાગૃતી ફેલાવવામાં આવનાર છે જે મોટર સાયકલ રેલી તા.૧૬/૧૦/૨૦૨૧ ના રોજ કચ્છ જીલ્લા ખાતેથી નીકળી રાજ્યના અલગ અલગ શહેર /જીલ્લાઓ ખાતેથી ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પડેલ ની જન્મજયંતીના દિવસે ૩૧ ઓક્ટોબરના રોજ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઇ પટેલનુ ગુજરાતમાં કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટરની ઉંચી વિશ્વની સાથી ઉંચીપ્રતીમાં ખાતે ૩૧ ઓક્ટોબરના રોજ પહોંચનાર છે જે મોટર સાયકલ રેલી તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ખાતે આવનાર છે જે મોટર સાયકલ રેલીનુ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરના પબ્લીક વહીવટી તંત્રના અધિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ, સામાજીક સંસ્થાઓ, એન.જી.ઓ., કલબો, પ્રબુધ્ધ નાગરીકો, એન.સી.સી. કેડેટ સાથે સ્વાગત કરવામાં આવનાર છે તેમજ રાજકોટ શહેર ખાતેના સ્વાતંત્રય સંગ્રામ સાથે સંકળાયેલ ઐતિહાસીક સ્થળો, સ્વાતંત્રય સંગ્રામના નેતાઓના જન્મ-જીવનના સ્થળોને આવરી શહેરમાં રેલી પસાર કરી દેશની એકતા અને અખંડીતતા જળવાય રહેવા અંગે જાગૃતી ફેલાવવામાં આવનાર છે.

૨૧ ઓકટોબરના રાજકોટ શહેર રામનાથપરા કોમ્યુનીટી હોલ ખાતે પોલીસ સંભારણા દિન અનુલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવનાર છે જેમાં રાજકોટ શહેર ખાતે ફરજ બજાવતા શહીદ એ.એસ.આઇ. સ્વ. શ્રી અમૃતભાઇ માયાભાઇ રાઠોડ, પો. હેડ કોન્સ. સ્વ. શ્રી રણવીરસિંહ દીલીપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. શ્રી પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલના પરીવારજનોને આમંત્રીત કરી તેમને સન્માનીત કરવામાં આવનાર છે તેમજ રાષ્ટ્રીય એકતા દિન અનુસંધાને મોટર સાયકલ રેલીમાં ભાગલેનારનુ સન્માન કરવામાં આવનાર છે. 

(8:20 pm IST)