Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

પડધરી ખાતે જીવરાજાની, નાગ્રેચા અને ભીમજીયાણી પરિવારનો રવિવારે નવચંડી યજ્ઞ

રાજકોટ : જીવરાજાની, નાગ્રેચા તથા ભીમજીયાણી પરિવારના ઇષ્‍ટદેવ પૂજય શ્રી ગણપતિ દાદા તથા કુળદેવી શ્રી રાંદલ માતાજી તેમજ આઇશ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી ઇષ્‍ટદેવતા શ્રી ગણપતિ દાદા તથા શ્રી રાંદલ માતાજી તથા આઇશ્રી ખોડીયાર માતાજીનાં સાનિધ્‍યમાં નવચંડી હોમાત્‍મક યજ્ઞનું આયોજન તા. ર૧ ના રવિવારે કરેલ છે.

તા. ર૧ ના રવિવારે સવારે ૮ વાગે હવન શરૂ થશે. ૧.૩૦ વાગે બીડુ હોમાશે. બાદ બે વાગ્‍યાથી મહાપ્રસાદ રાખેલ છે.

શુભ સ્‍થળ :- જીવરાજાની, નાગ્રેચા, ભીમજીયાણી, દેવસ્‍થાન મંદિર, કોટક શેરી, પડધરી મો. ૯૯રપપ ૦૭૭રપ, મો. ૯૯૭૪૦ ર૭૧૦૯ તેમ શ્રી ધીરૂભાઇ એસ. જીવરાજાનીએ જણાવ્‍યું છે.

(4:26 pm IST)