Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટમાં અહંકાર અને સ્‍વામન વચ્‍ચેનો જંગ : શકિતસિંહ ગોહિલ

રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ શક્‍તિસિંહ ગોહિલે જન સ્‍વાભિમાન સંમેલનને સંબોધતા જણાવ્‍યું હતું કે પરેશ ધાનાણીએ અણવર બનવાનું કહ્યું હતું. સામાજિક જવાબદારી હોવાથી ચૂંટણી લડવી નથી તેવું કહ્યું હતું.

જેથી રાજકોટથી અમારે ધાનાણી જોઈએ તેવો અવાજ ઉઠ્‍યો. પરંતું બહેનો-દીકરીઓએ અવાજ ઉઠાવ્‍યો. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્‍ચેના વ્‍યવહારો પૂર્વજોએ શીખવાડ્‍યું છે. લગ્ન વખતે પાટીદાર જવતલિયો ભાઈ થાય. જેથી પરેશ ધાનાણીએ કહ્યું, હું રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર છું. દલિતનો દીકરો તિલક કરે પછી મહારાજા સિંહાસન પર બેસે. બીજી તરફ ભાજપે આ તાણાવાણા તોડવાનો પ્રયત્‍ન કર્યો છે.

સત્તા એ આખરી લક્ષ્ય ન હોવું જોઈએ. વિદુરે કહ્યું હતું કે, સત્તાધીશ એ સિદ્ધાંતલક્ષી હોવો જોઈએ

(4:12 pm IST)