Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

પૂ.ધીરગુરૃદેવની નિશ્રામાં ઘરલાણીના વિતરણ

બેનાણી પરિવાર પ્રેરીત વીર આવો અમારી સાથે મંડળ દ્વારા નવકાર શિબિર

રાજકોટ,તા.૧૯:   જશાપુર ગામના આંગણે જૈનમુનિ પૂ.શ્રી ધીરગુરૃ દેવની ન્ેત્રાનંદકારી નિક્ષામાં રાજકોટના માતૃશ્રી રમીલાબેન હરકિશનદાસ બેનાણી પરિવારના જીતુભાઇ તથા રીનાબેન બેનાણીનું સન્માન કરાયાબાદ મીનાબેન મહેશભાઇ અને જાગૃતિબેન જયદીપ બેનાણી, સરલાબેન, નીતાબેન, શૈલેશમાઉં, કમલ દોશી વગેરેના હસ્તે સ્ટીલના ૪ ડબ્બાનો સેટ, સાકરનો પડો અને નવકાર ફ્રેમ ૪૦૦ ઘરોમાં અર્પણ કરાતો હર્ષોલ્લાસ છવાયો હતો.

જીવદયા પ્રતિક ચડાવાનો લાભ શાંતાબેન પોપટલાલ મણિયાર હ. મનહરભાઇએ લાભ લીધેલ. મનોજ કોરીઆએ અર્પણ કરેલ.

મુંબઇ સાયનના વીર આવો અમારી સાથે મંડળના બહેનોએ નવકાર મહિમા નાટિકા રજૂ કરેલ. ૯ કરોડ જાપમાં અનેક ભાવિકોએ પ્રતિજ્ઞા કરેલ. ભાયંદર, નાલા સોપારાના બહેનોએ નવકાર ગીત રજૂ કરેલ.આ પ્રસંગે ઉપલેટા સંઘના પ્રમુખ પંકજભાઇ શેઠ, વીસાવદરના રાજુભાઇ કમાણી, શાંતિનાથ સંઘના સુભાષભાઇ પટેલ, પડઘરીના જીતેશ પટેલ, મોરબી સંઘના ઉર્મિલાબેન મહેતા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.

ગૌશાળામાં ગાયોને લાડુ, શેરડી વગેરે પ્રફુલાબેન કામદાર, પુષ્પાબેન દેસાઇ, વિપુલાબેન,  બીનાબેન,  કુસુમબેન, રશ્મિબેન અને રોહિત કામદાર વગેરેના હસ્તે ખવરાવવામાં આવેલ. મંડળ દ્વારા નવકાર હાઉઝી રાખેલ. સૂત્ર સંચાલન જશવંત મણિયારે કરેલ

(4:07 pm IST)