Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય ખાતે બુધવારે કોરોના રસીકરણ કાર્યક્રમ

રાજકોટઃ આગામી તા.૨૧ બુધવારે સવારે ૯ થી ૧૨, બપોરે ૩ થી ૬ દરમ્‍યાન જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય, (રઘુવીર પાર્ક- ૪, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ) ખાતે સંઘ પરિવારમાંથી કોઈને કોરોના રસીના ૩ ડોઝમાંથી કોઈપણ ડોઝ લેવાનો બાકી હોય તેઓને વિનામૂલ્‍યે આપવામાં આવશે.જે કોઈ શ્રાવકોને કોરોના રસીનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તેઓએ પોતાના નામ જિનાલયનાં મુખ્‍ય વોટસએપ ગ્રુપમાં અથવા જિનાયલનાં યુવક મંડળના વોટસઅપ ગ્રુપમાં પુરૂનામ,  ઉંમર વિગત સાથે લખાવી લેવાના રહેશે.કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (મો.૭૯૯૦૫ ૭૦૮૧૧), વિરેન્‍દ્રભાઈ મહેતા, હિંમાશુભાઈ કોઠારી, જયેશભાઈ, નરેન્‍દ્રભાઈ, ગીરીશભાઈ શાહ, જનકભાઈ, જયેન્‍દ્રભાઈ, પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી, લલિતભાઈ વોરા, સમીરભાઈ કાપડીયા, સમીરભાઈ શાહ, સ્‍નેહલભાઈ, અનીલભાઈ મહેતા, ડો.તેજસભાઈ શાહ સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહયા છે.

(4:03 pm IST)