Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ગુરૂવારે વેલકમ નવરાત્રીઃ તમામ આવક વૃધ્‍ધાશ્રમ અને બાળ આશ્રમમાં સમર્પિત કરાશે

હેવ વીથ હેપીનેશ-વ્‍યાસ સોશ્‍યલ ગ્રુપ દ્વારા

રાજકોટઃ હેવ વીથ હેપીનેશ એન્‍જીઓ અને વ્‍યાસ સોશ્‍યલ યુવા ગ્રુપ દ્વારા આયોજીત વન-ડે વેલ્‍કમ નવરાત્રીમાં ગાયક કલાકારો ઉમેશ બારોટ, જાવેદ મુલ્‍તાણી, જીજ્ઞેશ પ્રજાપતિ, મનીષા સાવલીયા, કિરણ બારોટ અને વિજય બારોટ પોતાના સ્‍વર રેલાવશે. આ આયોજનમાં થતી આવક વૃધ્‍ધાશ્રમ અને બાળ આશ્રમમાં સમર્પિત કરી દેવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે બહેનો માટે ફ્રી પાસ અને ભાઇઓ માટે રૂા.૨૦૦/- ફી રાખેલ છે.

પ્રતિલોક પાર્ટી પ્‍લોટ નાનામવા રોડ, નાનામવાચોક, ૧૫૦ ફુટ રીંગરોડ, ખાતે ૨૨મીના ગુરૂવારે સાંજે ૮થી આયોજીત રાસોત્‍સવને સફળ બનાવવા વીથ હેપીનેશ એન્‍જીઓના પ્રમુખ નિશ્‍ચલ જોશી, નૈમીષભાઇ કનૈયા, મહીપતભાઇ જોશી સાથે યુવા પ્રમુખ મેહુલભાઇ ધોળકીયા, હરેશભાઇ આગેચા, મિલન વ્‍યાસ જહેમત ઉઠાવી રહ્યા છે. મો. ૯૮૨૪૯ ૬૦૫૧૪, ૭૭૭૭૯ ૭૦૧૪૩

(4:09 pm IST)