Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

આ વખતે વિસ્તાર પૂરતા જુલૂસ યોજાતા મુસ્લિમોમાં હર્ષ છવાઇ ગયો : કટારીયા

રાજકોટ, તા. ૧૯ : મહંમદ પૈગંબર સાહેબનું જુલૂસ છેલ્લા-ર વર્ષથી નીકળતુ ન હતું. હાલ આ વખતે સરકારની ગાઇડ લાઇન મુજબ જુલૂસ એરીયા વાઇઝ નીકળતા મુસ્લીમોમાં અનેરી ખુશીનો માહોલ છવાયો હોવાનું હબીબભાઇ કટારીયાએ જણાવ્યું છે.

સદર વિસ્તારનું જુલૂસ સદર ખાટકી વાસ, ભીલવાસ, જમાલસા કમાલસા બાપુની દરગાહ, ગવલીવાડ, મોટી ટાંકી ચોક, સદર નાલા, મોટા બાપુનું અસુરખાનુ, સદર પોલીસ ચોકી, સદર બજાર મેઇન રોડ, ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક થઇ મોટા પીરસાબના છેલ્લા મુબારક ખાટકીવાસમાં પૂર્ણ થયેલ. આમ આ વર્ષે જશ્ને ઇદે મીલાદુન્બીનું જુલૂસ નીકળયુ઼ છે. આ જુલૂસની આગેવાની હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મહેબુબભાઇ અબાભાઇ બેલીમ, હાજી હુશેનભાઇ માંડલીયા, હાજી કરીમભાઇ શેરૂભાઇ બેલીમ, આસિફભાઇ બેલીમ, ફારૂકભાઇ કેબીનવાલા, રસીદભાઇ શેખ, અલ્તાફભાઇ હોમગાર્ડવાળા, હાજી કાસમભાઇ લાખા વગેરેએ લીધી હતી. જો કે સતત બીજા વર્ષે ભવ્ય જુલૂસ મોકૂફ રહ્યું છે.

(2:54 pm IST)