Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

દાઉદી વ્હોરા સમાજની ઇદ નિમિતે યોજાયો ફ્રી મેડીકલ કેમ્પ

રાજકોટઃ ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા અને ભાઇચારાનો સંદેશો આપનાર નબી સાહેબ મોહંમદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ) ના જન્મદિવસ એટલે ઇદે મિલાદુનનબીના ખુશીના પ્રસંગે અંજુમને ઇઝઝીકમીટી અને ઉમુર સેહત દ્વારા ભગવતીપરામાં મુફદુલ હોલ ખાતે ફી મેડીકલ કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં ૧૨૫થી વધુ ભાઇ-બહેનોનો નિદાન કરાવેલ હતુ.ડો. સહાનાબેન જીંદાણી, ડો.મારીયાબેન, ડો.હુસેનાબેન વેજલાણી, ડો. અરવાબેન બાટલાવાળા, ડો.કારીયા તેમજ લેબ ટેકનીશ્યન તેમજ ઇઝઝી શીફાખાનાનો સહયોગ મળેલ. આ પ્રસંગે કોર્પોરેટર કાળુભાઇ કુંગશીયા, કંકુબેન ઉધરેજા, વોર્ડ પ્રમુખ સી.ટી.પટેલ ઉપસ્થિત રહયા હતા. જનાબ આમલ સાહેબ શેખ ફજલે હુસેનભાઇ, મુર્તુઝાભાઇ ધોધારી, ઝેહરાબેન અમરાવતીવાલાની આગેવાનીમાં અંજુમને ઇઝઝી તથા ઉમુર સેહતના ભાઇઓ તથા બહેનોએ જહેમત ઉઠાવેલ હતી. અંજુમનેે હાતીમના તેમજ ઉમુર સેહત લી. કમિટિના મેમ્બરો ઉપસ્થિત રહેલ. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ર્ડસવાલાએ યાદીમાં જણાવ્યુ હતુ.

(3:04 pm IST)