Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ગ્રીનલીફ હોટેલમાં કામ કરતાં દશરથનું તાવ ચડ્યા બાદ મોત

મુળ પાવાગઢના યુવાને હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ ઘંટેશ્વર નજીક ગ્રીનલીફ હોટેલમાં સ્ટાફ કવાર્ટરમાં રહી ત્યાં જ કામ કરતાં મુળ પાવાગઢના દશરથ કેશુભાઇ રાઠવા (ઉ.વ.૨૧)ને સાંજે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. દશરથ મુળ પાવગઢ પંથકનો વતની હતો. અહિ રહી સ્વીમીંગ પૂલની સાફસફાઇ સહિતનું કામ કરતો હોવાનું તેને હોસ્પિટલે લાવનારા મંજુનાથભાઇએ કહ્યું હતું. દશરથને કેટલાક દિવસથી તાવ આવતો હતો અને દવા લીધી હતી. ગઇકાલે તબિયત વધુ બગડી ગઇ હતી.

(4:20 pm IST)