Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વૈશાલીનગરમાં વીજલાઇન રીપેર કરતી વખતે કરંટ લાગતા પી.જી.વી.સી.એલ.ના લાઇનમેનનું મોત

કોલીથડના હરકાંતભાઇએ ખાનગી હોસ્‍પિટલમાં દમતોડી દેતા પરિવારમાં શોક

રાજકોટ,તા.૧૯: રૈયારોડ પર વૈશાલીનગરમાં વીજ થાંભલા પર ચઢીને ઇલેકટ્રીક લાઇન બદલતી વખતે કરંટ લાગતા પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે કામ કરતા યુવાનનું ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યુ  છે.

મળતી વિગત મુજબ ગોંડલના કોલીથડ ગામમાં રહેતા અને રાજકોટ પી.જી.વી.સી.એલમાં કોન્‍ટ્રાક પર લાઇનમેન તરીકે કામ કરતા હરકાંતભાઇ કરશનભાઇ શીંગલ (ઉ.વ.૩૮) ગઇ કાલે રૈયા રોડ પર  વૈશાલીનગરમાં વીજથાંભલાપર ચઢીને ઇલેકટ્રીક લાઇન રીપેર કરતા હતા. ત્‍યારે અચાનક કરંટ લાગતા થાંભલા પરથી પટકાતા તેને ઇજા થઇ હતી. બનાવ બનતા અન્‍ય કર્મચારીઓ તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ હરકાંતભાઇને સારવાર માટે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.ત્‍યા તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી. ડોડીયા સહીતે સ્‍થળપર પહોંચી કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)