Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

શાપર-વેરાવળ પાસે બાઇક સ્‍લીપ થતા ઘવાયેલા નરેન્‍દ્રભાઇ કણસાગરાનું મોત

રાજકોટ,તા. ૧૯ : શાપર-વેરાવળ પાસે બાઇક સ્‍લીપ થતા ઘવાયેલા કાંગશીયાળીના યુવાનનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ શાપર-રાજકોટ હાઇવે ઉપર એસ્‍સાર પંપની સામે ગત તા.૪ના રોજ બાઇક નં. જીજે-૦૩-એફએમ૦૬૨૩ સમય થતા ચાલક નરેન્‍દ્રભાઇ મગનભાઇ કણસાગરા રે.કસુંબી એપાર્ટમેન્‍ટ કાંગશીયાળીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ જયાં તેનું ગઇ કાલે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું.  આ બનાવ અંગે મૃતકના પિતા મગનભાઇની ફરીયાદ ઉપરની શાપર-વેરાવળ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:07 pm IST)