Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વચ્છરાજનગરમાં મારબલના ડેલામાં લોખંડના બે પાટાની ચોરી કરનાર ધર્મેશ અને અજય પકડાયા

ક્રાઇમબ્રાંચ પીઆઇ બી.ટી. ગોહીલની ટીમે બંનેને કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી દબોચ્યા

રાજકોટ, તા. ૧૯ :  વચ્છરાજનગર મેઇન રોડ પર આવેલા શ્રી રામકૃષ્ણ માર્બલના ડેલામાંથી રૂ. રપ૦૦૦ ના લોખંડના બે પાટાની ચોરી કરનારા બે શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે રણુજા મંદિર પાસેથી પકડી લીધો છે.

મળતી વિગત મુજબ વચ્છરાજનગર મેઇન રોડ પર આવેલા શ્રી રામકૃષ્ણ માર્બલના ડેલામાં ઍક મહિના પહેલા થયેલી રૂ.ર પ૦૦૦ ના લોખંડના પાટાની ચોરી કરનારા બે શખ્સો કોઠારીયા રોડ પર હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ ધર્મેશભાઇ ડાંગર, જયપાલભાઇ બરાલીયાને બાતમી મળતા કોઠારીયા રોડ  પર હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ ધર્મેશભાઇ ડાંગર, જયપાલભાઇ બરાલીયાને બાતમી મળતા કોઠારીયા રોડ પર રણુંજા મંદિર પાસેથી ધર્મેશ વિજયભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) (રહે. વચ્છરાજનગર શેરી નં.ર) અને અજય ભરતભાઇ સોલંકી (ઉ.વ.ર૬) (રહે. વચ્છરાજનગર શેરી નં. ર) ને રૂ. રપ૦૦૦ની કિંમતના બે  લોખંડના ચોરાઉ પાટા સાથે પકડી લીધા હતા. ધર્મેશ વાઘેલા અગાઉ દારૂ અને જુગારના પાંચ ગુનામાં અને અજય સોલંકી અગાઉ મારામારી અને દારૂ સહીત પણ ગુનામાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પીઆઇ બી.ટી.ગોહીલ, પીઍસઆઇ ડી.સી. સાકરીયા, હેડ કોન્સ. ધર્મેશભાઇ, અશોકભાઇ, હરદેવસિંહ, જયપાલભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:04 pm IST)