Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજકોટ:સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તથા ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા રાજકોટ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ તા. ૨૦ જાન્યુઆરી શુક્રવારે સવારે ૯ કલાકે ઓમ કોલેજ એન્ડ વિઝન સ્કુલ ખાતે આયોજિત 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી ભારતીય યુવાનોનું ઘડતર’’ વિષય પર યોજાનારા યુવા સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાંથી મંત્રી પનશેરીયા સવારે ૧૧ કલાકે સૈારાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭માં વાર્ષિક પદવીદાન કાર્યક્રમમાં જવા રવાના થશે.

         મંત્રી પનશેરીયા ૨૧ જાન્યુઆરીએ શનિવારે સવારે ૧૦ કલાકે જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે  શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વાર્ષિક પાટોત્સવ' કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે

(1:15 am IST)