Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સૌરાષ્‍ટ્રના સિંહોનું રાજકોટમાં આગમનઃ જયદેવ ઉનડકટ અને તેની ટીમનું એરપોર્ટ ખાતે ભવ્‍ય સ્‍વાગત

રાજકોટઃ કાતિલ બોલીંગથી સૌરાષ્‍ટ્રની ટીમને પોતાની કેપ્‍ટનશીપ હેઠળ બીજી વખત રણજી ટ્રોફી ચેમ્‍પિયન બનાવનાર સૌરાષ્‍ટ્રની ટીમના કેપ્‍ટન જયદેવ ઉનડકટ અને આખી ટીમ આજે બપોરની ફલાઈટમાં રાજકોટ આવી પહોંચી હતી. આ પ્રસંગે સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ, સેક્રેટરી હીમાંશુ શાહ, નિરંજનભાઈ શાહ, સુરુભાઈ દોશી  સહિતના ઉપસ્‍થિત રહી ખેલાડીઓને શુભેચ્‍છા પાઠવી હતી. તો રણજી ટ્રોફી ચેમ્‍પિયન બનનાર સૌરાષ્‍ટ્ર ટીમના જયદેવ ઉનડકટ, અર્પિત વસાવડા સહિતના ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા મોટી સંખ્‍યામાં ક્રિકેટપ્રેમીઓએ પણ ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:02 pm IST)