Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ઉપલાકાંઠે મે માસમાં સર્વજ્ઞાતિય જાજરમાન સમુહલગ્ન

સ્વ.શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટના નેજા હેઠળ આયોજન : ૨૩ મીથી ફોર્મ ભરવાનું શરૂ

રાજકોટ તા. ૨૦ : ઉપલાકાંઠે (વોર્ડ નં. ૪,૫,૬,૧૫) દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ તથા ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયા દ્વારા તા. ૩૦ - પ - ૨૦૨૧ ના રવિવારે જાજરમાન સર્વ ધર્મ અને સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

દિવંગત ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં યોજાનાર આ સમુહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓને લાખો રૂપિયાની કિંમતનો કરીયાવર અપાશે.  ફોર્મ તથા વધુ માહીતી માટે તા. ૨૩ માર્ચથી પ એપ્રિલ સુધીમાં પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયાના કાર્યાલય, ડો. ગરાળાના દવાખાનાની બાજુમાં, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે સાંજે ૪ થી ૭ દરમિયાન રૂબરૂ અથવા મો.૯૨૨૭૦ ૦૦૦૦૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:44 pm IST)