Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સરદાર પટેલ ભવન ખાતે રવિવારે પોલીસ ભરતી અંગે વિનામુલ્‍યે માર્ગદર્શન સેમીનાર

ધો.૧૨ પાસ કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ લાભ લઇ શકશે

રાજકોટ તા. ૧૯ : સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા તા. ૨૧ ના રવિવારે સવારે ૧૦ થી ૧૨ સુધી પી.આઇ.-કોન્‍સ્‍ટેબલની ભરતી સંદર્ભે એક ફ્રી માર્ગદર્શન સેમીનાર સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકા સામે, મવડી પ્‍લોટ ખાતે યોજવામાં આવ્‍યો છે.ભરતી પુર્વે ગ્રાઉન્‍ડ પર શું ખ્‍યાલ રાખવો, લેખિત પરીક્ષા કઇ રીતે લેવાશે? ભરતીના નવા સ્‍વરૂપો કેવા હશે? વગેરે બાબતે માર્ગદર્શન અપાશે. ગણિત, રીઝનીંગ, ભાષા, બંધારણ, ઇકોનોમી, સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી જેવા મુદા પણ આવરી લેવાશે. ધો.૧૨ પાસ કોઇપણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ આ નિઃશુલ્‍ક માર્ગદર્શન સેમીનારમાં જોડાઇ શકશે. નામ નોંધણી કે વધુ માહીતી માટે મો.૭૦૬૯૯ ૨૯૨૯૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:44 pm IST)