Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સૌરાષ્ટ્ર યુનિ,નું બીસીએ સેમેસ્ટર-4નું પ્રશ્નપત્ર પરીક્ષા પહેલા બજારમાં ફરતું હોવાનો યુવરાજસિંહ જાડેજાના આક્ષેપથી દોડધામ

તંત્ર દ્વારા આક્ષેપની સત્યતાની તપાસ કરવા અને વિવિધ કોલેજોએ આ પેપર ખરેખર ફૂટ્યું છે કે કેમ આ દિશામાં તપાસ હાથ ધરી

રાજકોટ : જાણીતા આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બીસીએ સેમેસ્ટર-4નું પ્રશ્ર્નપત્ર પરીક્ષા પહેલા બજારમાં ફરતું હોવાનો આક્ષેપ કરતા દોડધામ મચી જવા પામી હતી

  યુવરાજસિંહના આક્ષેપ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું તંત્ર આ આક્ષેપની સત્યતાની તપાસ કરવા અને વિવિધ કોલેજોએ આ પેપર ખરેખર ફૂટ્યું છે કે કેમ આ દિશામાં તપાસ હાથ ધરી છે

 

(7:03 pm IST)