Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦ હજાર ફુડ પેકેટનું વિતરણ

તૌકતેના તોફાનથી અસરગ્રસ્ત બનેલા લોકોને ભોજન પહોંચાડવા રાજકોટ સ્વામિનારાયણ મંદિરે ઠાકોરજીના સાનિધ્યમાં પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, પૂ. અપૂર્વમુનિ સ્વામી, પૂ. અક્ષરયોગી સ્વામી દ્વારા ૧૦,૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરાવવામાં આવ્યા હતા. મંદિરમાં સેવાભાવી પુરૂષ-મહિલા સ્વયંસેવકોએ ૨ હજાર કિલો પુરી અને ર કિલો શાકના ૧૦,૦૦૦ ફુડ પેકેટ તૈયાર કરી અસરગ્રસ્ત ગામોના જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:05 pm IST)