Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

જંગલેશ્વરમાં પત્નિના ત્રાસથી કંટાળી ઇમરાનભાઇ કરગથરાનો આપઘાતનો પ્રયાસ

પાડોશી અને ભાઇ જોઇ જતા યુવાનનો જીવ બચાવ્યોઃ પત્નિ રૂકસાર સામે પોલીસની કાર્યવાહી

રાજકોટ તા.ર૦ : જંગલેશ્વરમાં રહેતા યુવાને નાની નાની બાબતે પત્નીના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ જંગલેશ્વર શેરી નં.રમાં રહેતા ઇમરાનભાઇ મહેબુબભાઇ કરગથરા (ઉ.વ.૩૦)એ ગઇકાલે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પાડોશી અને તેનો ભાઇ જોઇ જતા ઇમરાનભાઇને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકનાં એ.એસ.આઇ. ભરતસિંહ તથા રાઇટર પ્રવિણભાઇએ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. ઇમરાનભાઇની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે મજુરીકામ કરે છે. પોતાને સંતાનમાં એક પુત્રી છે. છેલ્લા ઘણા સમયથી પત્ની રૂકશાર નાની નાની બાબતે ઝઘડો કરે છે. તેને ઘર ખર્ચના પૈસા આપવા છતાં જમવાનુ સરખુ બનાવતી નથી. પૈસા આપવા છતા ઘરની ચીજવસ્તુ પણ લાવતી નથી અને પોતાના કપડા પણ ધોતી ન હતી અને પોતે કંઇ કહે તો મહિલા પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતી હતી. આથી આ ત્રાસથી કંટાળી પોતે આ પગલુ ભર્યુ હોવાનું જણાવતા પોલીસે ઇમરાન કરગથરાની ફરિયાદ પરથી પત્નિ રૂકશાર વિરૂધ્ધ એન.સી. ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:09 pm IST)