Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

વિદ્યાનગર પાણીની લાઇનમાં ભંગાણઃ મનહર પ્લોટ, શારદાનગર, મંગળા રોડ સહીતના વિસ્તારોમાં પાણી વિતરણ મોડુ : તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૭ માં આવેલા વિદ્યાનગર મેઇન રોડ વિસ્તારમાં આજે બપોરે અઢી કલાકે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ ઉપર પાણીની રેલમછેલ  જોવા મળી હતી. પાણીની લાઇન તુટવાની જાણ મનપા તંત્રને થતા યુધ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે મનહર પ્લોટ, શારદાનગર તથા મંગળા રોડ સહીતના વિસ્તારોમાં પાણી વિતરણ મોડુ થશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:02 pm IST)