Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ટી. ડી. ઓ. કક્ષાના ૧૦ અધિકારીઓને વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મૂકાયા

રાજકોટ જિલ્લાના કુગશીયા અને જાડેજા અમરેલીમાં

રાજકોટ તા. ર૦ :.. રાજય સરકારે વરસાદ-વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લામાં ડે. ડી. ડી. ઓ. અને તાલુકા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓને અમૂક સમય માટે ખાસ ફરજ પર મૂકયા છે. તેઓ જે તે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સર્વે સહિતની કામગીરી કરશે. પંચાયત વિભાગના નાયબ સચિવ આશિષ વાળાની સહીથી આજે થયેલ હુકમ મુજબ જેતપુરના નિશાંત કુંગશીયા અને ધોરાજીના હર્ષવર્ધનકુમાર જાડેજા અમરેલી જિલ્લામાં કુતીયાણાના મલય ભુવા, અને રાણાવાવના રજની ઠુમર એ જ જિલ્લામાં મૂકાયા છે. લીંબડીના પારસ ચૌહાણ, થાનના કૌશિક પરમાર, સાયલાના પાર્થ પરમાર વગેરેને ગિર સોમનાથ જિલ્લામાં ફરજ સોંપાયેલ છે.

(4:05 pm IST)