Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સમથાજીને ૩ વર્ષ પહેલા નિષ્‍કાસીત કરાયેલઃ અપહરણની વાત અફવા : કિશનજી

શ્રી મલ્લીકાનાથ ઉપાશ્રયનાં પ્રમુખનું નિવેદન

રાજકોટ,તા.૨૦ : અમદાવાદના મલ્લીકાનાથ ઉપાશ્રયમાંથી સાધ્‍વીજી સમથાજીના બે-ત્રણ દિવસ પહેલા અપહરણ કરી જોધપુર રાજસ્‍થાન લઇ જવાની ઘટના અંગે સંઘ પ્રમુખ કિશનજી (મો. ૯૩૨૭૦ ૧૫૭૪૩) એ ‘‘અકિલા''ને જણાવ્‍યું હતુ કે, સાધ્‍વીજીને ૩ વર્ષ પહેલા ગુરૂજી પૂ. પ્રકાશમૂનિએ નિષ્‍કાસીત કર્યા હતા. અપહરણની વાત અફવા છે.

કિશનજીએ વધુમાં જણાવેલ કે, સાધ્‍વીજીની માનસીક સ્‍થિતી સારી ન હોવા છતા તેમની માંગણીથી અમે તેમને ૩ વર્ષથી ઉપાશ્રયમાં રાખ્‍યા હતા. પણ માનસીક સ્‍થિતી સારી ન હોવાથી તેઓના કારણે અન્‍ય સાધુ-સાધવીજીઓને સાધનામાં ખલેલ પહોંચતી હતી.

સાધ્‍વીજીના  પરિવાર સાથે પણ આ અંગે વાત કરેલ અને અંતે સંઘના મુખ્‍યાલય જોધપુર આરાધના ભવન ખાતે તેમને શીફટ કરવામાં આવ્‍યા હતા.

(4:25 pm IST)