Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આયુષ કોવિડ હોસ્પિટલ : ૯ દિવસમાં ૭ કોરોના દર્દીઓને સ્વસ્થતા પ્રદાન

રાજકોટ : કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતી ધ્યાને લઇ આયુષ્યમાન હોસ્પિટલ સંચાલિત શરૂ કરવામાં આવેલ 'આયુષ કોવિડ હોસ્પિટલ' માં સઘન સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલ શરૂ થયાના ૯ દિવસની અંદર ૭ કોવિડ કોરોનાના ગંભીર દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થતા બક્ષવાનો શ્રેય આ હોસ્પિટલે મેળવ્યો છે. નિષ્ણાંત ડોકટરો અને નર્સીંગ સ્ટાફની સતત દેખરેખથી દર્દીઓને ઝડપણી સ્વસ્થતા પ્રાપ્ત થઇ રહી છે. એમ.ડી. ડો. કમલેશ કારેલીયા, એમ.ડી. ચેસ્ટ ડો. કુંજેશ રૂપાપરા, અને મેડીકલ ઓફીસરની ટીમમાં ડો. ભૌતિક સોજીત્રા, ડો. અમિત ડોડીયા, ડો. પ્રતિક્ષા થાવરાણી, ડો. સમીર ભટ્ટ, ડો. સંજય પટેલ, ડો. રોહિત પટેલ, ડો. રવિ પટેલ વગેરે સેવા આપી રહ્યા છે.

(3:58 pm IST)