Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ મંડળથી થઇને પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે

રાજકોટ :ઉત્તર પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ-ઝારસુગુડા સેક્શનના હેમાગિરી સ્ટેશન પર ચોથી લાઈન કનેક્ટિવિટી આપવા માટે નોન ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ મંડળથી થઈને પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે જેની વિગતો નીચે મુજબ છેઃ

રદ ટ્રેનો
· ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 24 અને 25 ઓગસ્ટ 2022 ના રોજ
·ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 26 અને 27 ઓગસ્ટ 2022 ના રોજ
·ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 21 અને 28 ઓગસ્ટ 2022 ના રોજ
·ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 23 અને 30 ઓગસ્ટ 2022 ના રોજ
·ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ 26 ઓગસ્ટ 2022 નો રોજ
·ટ્રેન નંબર 12950 સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ 28 ઓગસ્ટ 2022 ના રોજ
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.તેમ અભિનવ જેફ,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છે

(12:53 pm IST)