Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

નરેન્‍દ્રભાઇના હસ્‍તે લાઇટ હાઉસ પ્રોજેકટનું લોકાર્પણ : ૧૭ ઓકટોબરે સંભાવના

મનપા તંત્ર દ્વારા સિવિલ હોસ્‍પિટલ બ્રીજ પણ પીએમ ખુલ્લો મુકે તેવા પ્રયાસો

રાજકોટ,તા. ૧૯ : આગામી મહિને ઓકટોબરમાં નરેન્‍દ્રભાઇ શહેરના મહેમાન બનવાના છે. મનપા દ્વારા રૈયા સ્‍માર્ટ સીટીમાં નિર્મિત લાઇટ હાઉસ પ્રોજેકટનું નરેન્‍દ્રભાઇના હસ્‍તે તા. ૧૭ ઓકટોબરના રોજ લોકાર્પણ કરવવાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આંગે પીએમઓમાં પણ કાર્યક્રમ મુકાઇ ગયો છે. અને લાઇટ હાઉસ પ્રોજેકટની સાથો-સાથ સિવિલ હોસ્‍પિટલ બ્રીજના લોકાર્પણ અંગે પણ મનપા દ્વારા પ્રયાસો કરવાની સાથે અન્‍ય પ્રોજેકટોનું પણ નરેન્‍દ્રભાઇના હસ્‍તે જ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થાય તે માટે તંત્ર મહેનત કરી રહ્યુ છે.

 

(3:45 pm IST)