Gujarati News

Gujarati News

News of Monday, 20th December 2021

લોહાણા વિદ્યાર્થી ભવન-વડાલા મુંબઇને રૂ. બે કરોડનું અનુદાન

રાજકોટ : લોહાણા વિદ્યાર્થી ભવન, વડાલાના (મુંબઇ) ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા ટ્રસ્ટી સ્વ. અરૂણભાઇ દાવડા (ડો. જીમુલીયાના બેચમેટ) એ સંસ્થાને રૂ. ર કરોડનું અનુદાન આપવાની સુચના એમના પુત્રી શ્રીમતી અલ્કાબેન કતિરા તથા જમાઇ શ્રી કિર્તીભાઇ કતિરાને જ્ઞાતિહિતમાં આપેલ હતી. તે હેતુથી શ્રીમતી અલ્કાબેન અને કિર્તીભાઇ કતિરા સંસ્થામાં પધારેલ અને અનુદાન પેટે રૂ. ૬પ,૦૦,૦૦૦ (ટોટલ અનુદાન રૂ. ર કરોડમાંથી) નો પ્રથમ ચેક સંસ્થાને અર્પણ કરેલ. તે પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ત્થા માનદ મંત્રીશ્રી હસમુખ વી. જોબનપુત્રા તથા માનદમંત્રીઓ શ્રી યોગેશભાઇ ઠકકર અને શ્રી ધર્મેન રૂઘાણીએ ઉપસ્થિત રહીને શ્રીમતી અલ્કાબેન અને શ્રી કિર્તીભાઇ કતિરાનું સ્વાગત અને અભિવાદન કરેલ. લોહાણા વિદ્યાર્થી ભવન, વડાલા સ્વ. શ્રી અરૂણભાઇ દાવડાના તેમજ તેમના કુટુંબીજનો આ અનુદાન માટે સદાયે ઋણી રહેશે તેવું ટ્રસ્ટીશ્રી હસમુખભાઇ જોબનપુત્રાએ જણાવ્યું હતું.  

(3:32 pm IST)