Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રાજકોટ બાર એસો.ના ઠરાવને ગોંડલ જસદણ, જેતપુર સહિતના એસો.નો ટેકો

રાજકોટ : રાજકોટ બાર એસો.ના કોર્ટ કાર્યવાહીના બહિષ્‍કારના ઠરાવને આજે ગોંડલ, જેતપુર, જસદણ, લોધિકા-પડધરી, સહિતના વકીલ મંડળોએ ટેકો જાહેર કર્યો હતો.

આ ઉપરાંત એમ. એ. સી. પી. બાર રેવન્‍યુ બાર ક્રિમીનલ બાર એસો. લેડી. લોયર્સ એસો. સહિતના વકીલ મંડળોએ પણ ટેકો જાહેર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાર એસો.ના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ આ પરિપત્રના મુદે અગાઉ લોક-અદાલતનો બહિષ્‍કારનો કાર્યક્રમ પણ યોજેલ હતો. વકીલોએ ડીસ્‍ટ્રીકટ જજના પરિપત્રને રદ કરવાની માંગણી સાથે આજે કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર કરીને પરિપત્રની હોળી કરી હતી.

(4:36 pm IST)