Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

કવિ, ગાયક, વકતા પ્રો. ડો. મનોજ જોષીને પૂર્વ રાષ્‍ટ્રપતિના હસ્‍તે સારસ્‍વત એવોર્ડ

રાજકોટઃ જાણીતા કવિ, ઉત્તમ ગાયક, વકતા પ્રો. ડો. મનોજ જોષીને સારસ્‍વત એવોર્ડ અર્પણ કરાયો છે. ‘‘અચલા એજયુકેશન ટ્રસ્‍ટ-અમદાવાદ દ્વારા આયોજિત ભવ્‍ય સમારોહમાં ભારતના પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે ડો. મનોજ જોષીને ‘‘સારસ્‍વત એવોર્ડ'' એનાયત કરાયો છે. શબ્‍દ, સાહિત્‍ય, સ્‍વર-સંગીત અને શિક્ષણમાં ડો. જોશીનું પ્રદાન તથા અબોલ પશુ-પક્ષીઓની અવિરત સેવા સદાય અવિસ્‍મરણીય અને પ્રેરણાદાયી છે તેમ ડો. કનૈયાલાલ ભટ્ટ ગાંધીનગર એ જણાવ્‍યું છે.

 

(4:49 pm IST)