Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં રાહત દરે ચીકનગુનીયા તથા ડેન્ગ્યુની તપાસ

રાજકોટઃ અહિંની આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં નવી નવી ટેકનોલોજી દ્વારા રાહત દરે વિવિધ ટેસ્ટસ કરવામાં આવે છે, તેમાં હવે ચીકનગુનીયા તથા ડેન્ગ્યુની તપાસ આધુનિક મશીનમાં પીસીઆર મેથડથી રીર્પોટ મેળવી શકાય છે, આ રીર્પોટનું પરિણામ સચોટ હોય છે, આ તપાસ માટે આ રીત સીવાય અન્ય કોઇ રીતે બ્લડના ટેસ્ટ નથી. આ બન્ને ટેસ્ટસ(કોમ્બો ટેસ્ટ) રાહતદરે રૂા.૧૨૦૦માં કરી આપવામાં આવે છે. આ ટેસ્ટ સાઇમેન્સ કાું.  આધુનિક મશીન કવોન્ટ સ્ટુડીઓમાં કરવામાં આવે છે, જે રીર્પોટસ આશરે ૫થી ૬ કલાકમાં મળી જાય છે. તેમ યાદીમાં જણાવાયું છે વધુ વિગતો માટે મો. ૭૫૭૪૦ ૩૧૩૧૫, ૭૫૭૪૦ ૩૧૩૧૬

(4:04 pm IST)