Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સીટી બસની ઠોકરે ચડેલા નાનજીભાઇ ચાવડાનું મોતઃ ચાલક સામે ગુન્‍હો નોંધાયો

ઢેબર રોડ ભુતખાના ચોક પાસે ત્રણ દિવસ પહેલા અકસ્‍માત સર્જાયો

રાજકોટ તા.ર૧ : શહેરના ઢેબર રોડ પર આવેલા ભુતખાના ચોક પાસે ત્રણ દિવસ પહેલા સીટી બસના ચાલકે સાયકલને હડફેટે લેતા વૃધ્‍ધને ઇજા થઇ હતી. તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજતા સીટી બસના ચાલક સામે ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રેલનગર શેરી નં.૧૧માં રહેતા નાનજીભાઇ નાથાભાઇ ચાવડા ગત તા.૧૮ ના રોજ સાયકલ લઇને ઢેબર રોડ પર જતા હતા ત્‍યારે ભુતખાના ચોક પાસે જીજે૩ એટી-૯૬૧૬ નંબરની સીટી બસના ચાલે પુરઝડપે બસ ચલાવી સાયકલને ઠોકર મારતા વૃધ્‍ધ નાનજીભાઇને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં ગઇકાલે તેનુ સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે સીટી બસના ચાલક સામે ગુન્‍હો દાખલ કરી પી.એસ.આઇ. એસ.એચ. નિમાવતે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)