Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

સફાઇ કર્મચારી આયોગના ચેરમેન વ્‍યંકટેશજીનું વાલ્‍મીકી સમાજ દ્વારા સન્‍માન

રાજકોટ : રાષ્‍ટ્રીય સફાઇ કર્મચારી આયોગ સામાજીક ન્‍યાય અધિકારીતા મંત્રાલય દિલ્‍હીના ચેરમેન એમ. વ્‍યંકટેશનજી રાજકોટની મુલાકાતે આવતા વાલ્‍મીકી સમાજના આગેવાનો શ્રવણભાઇ ચૌહાણના નિવાસ સ્‍થાને યુવા વાલ્‍મીકી સંગઠન દ્વારા ઠકકરબાપા વિસ્‍તારવતી તેમનું સન્‍માન કરાયુ હતુ. આ તકે કલેકટર મહેશ બાબુ, મ્‍યુ. કમિશ્‍નર અમિતભાઇ અરોરા, વાલ્‍મીકી સમાજના ધર્મગુરૂ રામદાસબાપુ, ડે. કમિશ્‍નર શ્રી સીંગ, પ્રદેશ સફાઇ કામદાર સેલના કારોબારી સભ્‍ય જલ્‍પેશભાઇ વાઘેલા, પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર, પ્રદ્યુમનસિંહ જાડેજા, વોર્ડ નં. ૭ ના અગ્રણી પ્રવિણભાઇ ચાવડા, ઠકકર બાપા વિસ્‍તારના પટેલ હિરાભાઇ ઘાવરી, મુકેશભાઇ પરમાર, મોચી બજાર વિસ્‍તારના પટેલ પ્રવિણભાઇ વાઘેલા, વિનુભાઇ પઢીયાર, કન્‍વીનર સફાઇ કામદર સેલ અજય વાઘેલા, સહ કન્‍વીનર સફાઇ કામદાર સેલ જયેશ ઘાવરી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. દરમિયાન આ તકે સફાઇ કામદારોના પ્રશ્‍નો અંગે પણ રજુઆત કરવામાં આવી હતી.

 

(4:46 pm IST)