Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

રૈયાધારના પ્રવિણભાઇ અને હિંગળાજનગરના અરવિંદભાઇએ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: રૈયાધાર મફતીયા પરામાં રહેતાં પ્રવિણભાઇ જાદવભાઇ સીતાપરા (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

 બીજા બનાવમાં અમીન માર્ગ પાસે હિંગળાજનગર-૩માં રહેતાં અરવિંદભાઇ નથુભાઇ શીંગડીયા (ઉ.વ.૪૭) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ માલવીયાનગરમાં જાણ કરી હતી.

(2:49 pm IST)