Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વિઘ્નહર્તા શ્રી ગણપતિબાપા મોરીયા વિશે વકૃતત્‍વ સ્‍પર્ધા- ગરબાનો કાર્યક્રમ

લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા શનિવારે

રાજકોટઃ શ્રી લોહાણા મૈત્રી મહિલામંડળ-(બેડીનાકા વિસ્‍તાર) રાજકોટના પ્રમુખ ઇન્‍દીરાબેન શીંગળા (૯૪૦૯૫ ૭૭૦૭૩) ઉપપ્રમુખ ઇન્‍દીરાબેન જસાણી મંત્રી શ્રીમતી અંજનાબેન હિન્‍ડોચા (૯૪૦૮૮ ૮૮૫૬૮)ની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે સભ્‍ય બહેનો માટે તા.૨૫-૬ શનિવારે સાંજે ૪થી ૬ દરમ્‍યાન શ્રીનાથજી સત્‍સંગ હોલ(શ્રીનાથ કોમ્‍પલેક્ષ, પાંચમા માળે, કોટક બેંકની બાજુમાં જીલ્લા પંચાયત ઓફીસ સામે-રેસકોર્ષ-બાજુમાં) ખાતે વિધ્નહર્તા શ્રી ગણપતિબાપા મોર્યા વિશે. વકતૃત્‍વ સ્‍પર્ધા યોજવામાં આવશે. જેમાં નિર્ણાયકો દ્વારા સૌથી સારૂ વકતવ્‍ય-આપનાર-બહેનોનું સન્‍માન કરી ઇનામો આપવામાં આવશે. ત્‍યારબાદ તમામ બહેનો દ્વારા ગરબાનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે.

સ્‍પર્ધામાં ભાગ લેવા તથા વિશેષ માહિતી માટે સંસ્‍થાના હોદેદારો ઇન્‍દીરાબેન શીંગાળા (૦૨૮૧-૨૨૩૩૨૪૯) અંજનાબેન હિન્‍ડોચા(મો. ૯૪૦૮૮ ૮૮૫૬૮) ઇન્‍દીરાબેન જસાણીનો સંપર્ક કરી નામ નોંધણી કરાવી લેવા જણાવાયું છે.

(3:08 pm IST)