Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલે શ્‍યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ : ભાજપ દ્વારા પુષ્‍પાંજલી કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૨ : જનસંઘના સ્‍થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્‍ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્‍ટ્રભકત ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીનો આવતીકાલે તા. ૨૩ના બલિદાન દિવસ છે.
ત્‍યારે ‘બલિદાન દિવસ' અંતગર્ત આવતીકાલે તા.ર૩ના સવારે ૯:૩૦ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્‍યક્ષતામાં શહેર ભાજપ ઘ્‍વારા તમામ શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્‍થિતિમાં  આર્ટગેલેરી,  રેસકોર્ષ ખાતે ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવશે. સવારે ૧૦:૩૦ કલાકે શહેરના તમામ વોર્ડના દરેક બુથમાં ડો.શ્‍યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવશે.કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે અનુરોધ કરેલ છે.
કસવાલાનું વકતવ્‍ય
શહેર ભાજપ દ્વારા આવતીકાલે તા.ર૩ જૂન- સાંજે પઃ૩૦ કલાકે શહેરના હેમુ ગઢવી મીની થિયેટર ખાતે ડો.શ્‍યામાપ્રસાદ મુખરજીના જીવનકવન ઉપર વકતવ્‍યનો કાર્યક્રમ યોજાશે જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલા વકતવ્‍ય આપશે. કાર્યક્રમમાં શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહેશે.

 

(4:23 pm IST)