Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાએ ગોંડલના દાડીયાના વૃધ્ધ અને વઢવાણના પ્રોૈઢનો જીવ લીધો

રાજકોટ તા. ૨૨: કોરોનાએ કાળ બની ત્રાટકવાનું યથાવત રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે વધુ બે દર્દીઓના શ્વાસ કોરોનાને કારણે રૃંધાઇ ગયા છે. ગોંડલના દાડીયા ગામના વૃધ્ધ અને વઢવાણના પ્રોૈઢના કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યા છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલના દાડીયા ગામે રહેતાં બાબુભાઇ ગાંગુભાઇ લીલા (ઉ.વ.૭૫)નું રાત્રીના કોવિડ સેન્ટરમાં મોત નિપજ્યું હતું.

એ પછી બીજા દર્દી સુરેન્દ્રનગરના વઢવાણના ઇબ્રાહીમભાઇ દાઉદભાઇ નિરોલ (ઉ.વ.૫૮)એ પણ દમ તોડી દીધો હતો. કોવિડ સેન્ટરની ટીમે બંને મૃતદેહને પેક કરી અંતિમવિધી માટે ફાયર બ્રિગેડને સોંપ્યા હતાં.

નોંધનીય છે કે રવિ, સોમ અને મંગળવાર એમ ત્રણ દિવસના ૧૭ મોત થયા હતાં. ત્યાં વધુ બે મોત નિપજતાં ચાર દિવસમાં મૃત્યુઆંક ૧૯ થયો છે.

(11:29 am IST)