Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા શનિવારે વિદ્યોતેજક પુરસ્‍કાર સન્‍માન-જ્ઞાતિ એવોર્ડ

પૂ.અપૂર્વમુની સ્‍વામી આશીર્વચન પાઠવશે

રાજકોટઃ શ્રીમોઢવણિક યુવા ગ્રુપ તથા શ્રીમોઢવણિક સમાજનાં સયુકત ઉપક્રમે વિદ્યોતેજક સન્‍માન સમારોહ તથા જ્ઞાતિ સેવા એવોર્ડનું આયોજન તા.૨૪ના શનિવારે રાત્રે ૮ વાગ્‍યાથી પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ રૈયારોડ ખાતે યોજાશે
કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાને શ્રીગોપીભાઇ કે પટેલ, ઉપાધ્‍યક્ષ સ્‍થાને શ્રીકૌશલભાઇ એચ.જીવાણી, શ્રીજીજ્ઞેશભાઇ કે.જીવાણી, ઉદઘાટક સ્‍થાને શ્રીયશરાજભાઇ પી.રાઠોડ, મુખ્‍ય મહેમાનસ્‍થાને શ્રીવરૂણભાઇ એ.પટેલ, શ્રીસાગરભાઇ કે.ભાડલીયા, ડો.શ્રી મૌલિકભાઇ આર.ગાંધી, ડો.શ્રીહાર્દિકભાઇ એ.દોશી, શ્રીનીતિનભાઇ એમ.મણીયાર, ડો.શ્રી ઇશાબેન જે.ગાંધી, ડો.રાજવીબેન પી.મહેતા, ડો.શ્રી બિન્‍દ્રાબેન ડી.પારેખ, શ્રીમતી નીધિબેન એ.દોશી ખાસ ઉપસ્‍થિત રહેશે. બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના સંત શ્રી પૂજય શ્રીઅપૂર્વમુનીજી સ્‍વામી આશીર્વચન પાઠવશે.
આ પ્રસંગે જ્ઞાતિ સેવા એવોર્ડ આજીવન સેવાના ભેખધારી શ્રીસંજયભાઇ મણીયાર (ટ્રસ્‍ટી મોઢવણિક સમાજ તથા મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ રાજકોટ) બહારગામ કક્ષાએ વડોદરાનાં શ્રીયોગેશભાઇ વડોદરીયા (પ્રમુખ એસ.વી.વી.પી. વડોદરા)ને એનાયત કરવામાં આવશે, તેમજ જ્ઞાતિ મહિલાઓને એક તાંતણે બાંધનાર, સમાજ મહિલા મંડળમાં ૨૫ વર્ષથી અવિરત સેવા આપનાર, સમસ્‍ત મોઢવણિક મહિલા મંડળનાં પૂર્વ પ્રમુખશ્રી સરોજબેન ભાઠાનું અદકેરૂ સન્‍માન કરવામાં આવશે.
વિદ્યાર્થી સન્‍માન સમારોહ કાર્યક્રમને યશસ્‍વી બનાવવામાં મંડળ પ્રમુખ શ્રીકિરેનભાઇ છાપીયા, માનદ મંત્રીશ્રી કેતનભાઇ પારેખ, ચેરમેનશ્રી કેતનભાઇ મેસ્‍વાણી, કારોબારી મેમ્‍બર ડો. શ્રીકમલેશભાઇ પારેખ, શ્રીજીજ્ઞેશભાઇ મેસ્‍વાણી, પ્રચાર-પ્રસાર સેવાશ્રી અશ્વિનભાઇ પટેલએ પુરી પાડેલ છે. કાર્યક્રમ સંચાલન માનદ મંત્રીશ્રી કેતનભાઇ પારેખ, શ્રીકેતનભાઇ મેસ્‍વાણી સંભાળશે

 

(10:42 am IST)