Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ

મંદિરોમાં અનેરા શણગાર સાથે ઘટસ્‍થાપન

રાજકોટ : માતાજીની ઉપાસના માટે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. તેમાની ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. માતાજીના મંદિરોને અનેરા શણગાર સાથે ઘટ સ્‍થાપન કરવામાં આવેલ છે. આજથી નવ દિવસ સુધી માતાજીના વિશેષ આરતી ગરબા સાથે ગુણલા ગવાશે. માઇ ભકતો નવરાત્રીના અનુષ્‍ઠાન કરશે. વ્રત-જપ-તપ થકી માતાજીની ભક્‍તિ થશે. ઘરે ઘરે પણ આરતી ગરબા ગવાશે. રાજકોટના સુપ્રસિધ્‍ધ આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રીને ધ્‍યાને લઇ દેદીપ્‍યમાન શણગાર કરવામાં આવેલ છે. આજે પ્રથમ નોરતે જ વહેલી સવારથી દર્શનાર્થીઓએ લગાવેલી કતારો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:10 am IST)