Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વાર્ષિક હિસાબો માટે રાજકોટ યાર્ડ ૬ દિવસ બંધ રહેશે

રાજકોટ, તા., ર૩: રાજકોટના બેડી મુખ્ય યાર્ડમાં કામ કરતા કમિશન એજન્ટ અને વેપારીઓ દ્વારા વાર્ષિક હિસાબો પુરા કરવા માટે યાર્ડમાં ખરીદ-વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્વયે તા.ર૭-૩ ને સોમવારથી તા.૧- એપ્રિલ શનિવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડ (અનાજ)નું હરરાજીનું કામકાજ બંધ રહેશે.

તા.ર૪ ને શુક્રવારથી અનાજ વિભાગ મુખ્ય યાર્ડની તમામ જણસીઓની આવકો માટે વાહનો યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી જેથી સદરહું દિવસો દરમ્યાન ખેડુત ભાઇઓએ યાર્ડમાં માલ વેચવા લાવવો નહી. તા.૩ થી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેમ યાર્ડના સેક્રેટરી બી. આર.તેજાણીની યાદીમાં જણાવાયું છે.

(1:33 pm IST)