Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રવિવારે ખોડીયાર માતાજીનો માંડવો

રાજકોટઃ  શહેરના ગોંડલ રોડ ઉપર બાનલેબની સામે પૂજારા મોબાઈલની પાછળ માનસતા આર.એમ.સી.કવાર્ટર ખાતે આવેલ શ્રી ખોડીયાર માતાજીના મંદિરે તા.૨૬ના રવિવારે આઈશ્રી ખોડીયાર માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલ છે.

૨૬મીના સવારે ૮:૩૦ થાંભલી રોપાશે, ૧૦ વાગે ભુવાના સામૈયા નિકળશે. સાંજે ૪ વાગે મામેરા, ૭ વાગ્‍યાથી મહાપ્રસાદ રાખેલ છે.

તસ્‍વીરમાં મંગળાબેન સોઢા (વોર્ડ નં.૧૩ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ)  નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:40 pm IST)