Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વંથલી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના એ.એસ.આઇ પંકજભાઈ દીક્ષિતનું મોત:પોલીસબેડામાં શોકની લાગણી

વંથલી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં આજીડેમ પોલીસમાં ફરજ બજાવતા ASI પંકજભાઈને ગંભીર ઇજા થતા મૃત્યુ

વંથલી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના એએસઆઇ પંકજભાઈ દીક્ષિતનું મોત નીપજ્યું છે , આ અકસ્માતમાં પોલીસકર્મીનું મૃત્યુ થતા પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે

 મળતી વિગત મુજબ જૂનાગઢના વંથલી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટના આજીડેમ  પોલીસમાં ફરજ બજાવતા ASI પંકજભાઈને ગંભીર ઇજા થતા મૃત્યુ  થયું છે

 

(10:21 pm IST)