Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સૌરાષ્ટ્રના જૂનાગઢ પંથક પાસે આવેલ વંથલી નજીક ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં રાજકોટના એ.એસ.આઈ. પંકજ દીક્ષિતનું કરુણ મૃત્યુ: પને ઈજા: જૂનાગઢની નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ અને ડ્રાઈવર મહેશ છુછર ત્યાંથી નીકળતા પોલીસ વાનમાં હોસ્પિટલે ખસેડેલ. બને કારનો ભુક્કો બોલી ગયેલ, ટ્રાફિક જામ

જૂનાગઢ,તા. વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટના એક વ્યક્તિનું મોત થયું હતું, જયારે અન્ય પાંચ લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોલીસ વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર કાર નંબર જીજે. ૧૮. બી.એન.૩૫૭૧ અને કાર નંબર જીજે.૦૩. કે.એચ.૧૨૬૭ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા પાંચ થી છ વ્યક્તિઓને ઈજા થયેલ હતી, જેમાંથી રાજકોટના પંકજભાઈ દીક્ષિત નામના વ્યક્તિનું મોત થયું હતું, 

 

જયારે અન્ય ઈજાગ્રસ્તોને ૧૦૮ અને આ સમયે ત્યાંથી જૂનાગઢની નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ અને ડ્રાઈવર મહેશ છુછર ત્યાંથી નીકળતા પોલીસ વાનમાં હોસ્પિટલે ખસેડેલ. 

 

ટ્રાફિક જામ થઈ ગયો હતો, અને વંથલી-કેશોદ હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

 

(11:39 pm IST)