News of Tuesday, 23rd May 2023
રાજકોટઃ મધ્યપ્રદેશ સ્થિત બાગેશ્વર ધામના વડા અને હિન્દુ આઈકોન પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાષાીજી હિન્દુ ધર્મનો વ્યાપ વધે તે માટે એક ધરીને નીકળ્યા છે ત્યારે આપણા સૌ હિંદુ સમાજની ફરજ છે કે તેમને પૂરૂં સમર્થન આપવું અને હિન્દુત્વના પ્રચાર પ્રસારને વેગવંતો બનાવવો. આ શબ્દો છે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજ શેખાવતના. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગદર્શન ખાતે આવેલા બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત ઉપરાંત ખીરસરા આશ્રમ ના મહંત પૂજય ભકિત સ્વામી , કરણી સેના રાજકોટના ચંદુભા પરમાર,ધીરુભાઈ ડોડીયા, મૌલિકભાઈ વાઢેર ,હિતુભા તેમ જ ભાજપના અગ્રણી મુરલીભાઇ દવે, રઘુભાઈ ધોળકિયા, સામાજિક અગ્રણી જયભાઈ ખારા, લેબર કોન્ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ આશિષભાઈ ટાંક સહિતના અગ્રણીઓ આવ્યા હતા અને આ કાર્યક્રમને સમર્થન જાહેર કર્યું હતું.
હિન્દવા સૂરજ સનાતન ધર્મરક્ષક મહાયોદ્ધા ક્ષત્રિય કુળભુષણ વીર શિરોમણી રાજાધીરાજ શ્રી મહારાણા પ્રતાપજી ની ૪૮૩ મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં ભાગ લેવા આવેલા કરણી સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી રાજ શેખાવત અને કરણી સેનાના સભ્યો રેસકોર્સ ખાતે મધ્યસ્થ કાર્યાલયમાં આવી પહોંચતા સમિતિના હોદ્દેદારો યોગીનભાઈ છનિયારા, ભરતભાઈ દોશી, વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા વગેરેએ તેમને આવકાર્યા હતા.
શ્રી રાજ શેખાવતે આ પ્રસંગે કહ્યું હતું કે વિધર્મીઓના હુમલા સામે હિન્દુ સમાજ એ એક થવાની તાતી જરૂરિયાત છે ત્યારે બાગેશ્વર ધામના શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાષાી હિન્દુત્વનો ધ્વજ લઈને નીકળ્યા છે ત્યારે આપણા સૌની ફરજ તેમને સમર્થન આપવાની છે. કરણી સેના પહેલેથી જ તેમની સાથે છે અને ક્ષત્રિય તેમની સુરક્ષા માટે પણ કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યારે તો ગુજરાતના ચાર મોટા શહેરોમાં બાગેશ્વર બાબાના કાર્યક્રમો થઈ રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં વધુ સ્થળોએ તેમના કાર્યક્રમો યોજાય અને હિન્દુત્વનો વધુ પ્રચાર થાય તે જરૂરી છે.
આ પૂર્વે કરણી સેના દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં બાગેશ્વર ધામ સમિતિના હોદ્દેદારો સર્વશ્રી યોગીનભાઈ છનિયારા ભરતભાઈ દોશી અને કાંતિભાઈ ઘેટીયા વગેરે ગયા હતા અને કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતનું અભિવાદન કર્યું હતું.
બાગેશ્વર ધામ સેવા સમિતિના મધ્યસ્થ કાર્યાલયમાં ખીરસરા આશ્રમના મહંત પૂજય ભકિત સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ કાર્યકરોને સંબોધન કર્યું હતું. પૂજય ભક્તિ સ્વામીએ કહ્યું હતું કે શ્રીલંકા જવા માટે જયારે ભગવાન રામ સેતુ બનાવી રહ્યા હતા ત્યારે એક નાની ખિસકોલી પણ પોતાનાથી બનતા પ્રયાસો કરતી હતી. આજે દરેક હિન્દુએ પણ ખિસકોલીની જેમ જ હિંદુત્વના પ્રચાર પ્રસાર માટે પોતાનાથી બનતા પ્રયાસો કરવાના છે.
આજે હિન્દુ સમાજના આંગણે એક થવા માટેનો રૂડો અવસર આવ્યો છે ત્યારે સૌ કોઈ તન મન ધનથી આ સેવા કાર્યોમાં લાગી જાય કારણ કે હિન્દુત્વની વિરાસત ને જાળવી રાખવી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની છે તેમ પણ પૂજય ભક્તિ સ્વામીએ જણાવ્યું હતું.
બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના સભ્ય ગુણવંતભાઈ ડેલાવાળા એ પણ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને આ કાર્યક્રમમાં વધુને વધુ લોકો ઉપસ્થિત રહે
તે માટે પ્રચાર પ્રસાર ઉપર ભાર મૂક્યો હતો.
રાજકોટમાં તારીખ પેલી અને બીજી જૂન એમ બે દિવસ માટે બાગેશ્વર ધામના પૂજય ધીરેન્દ્ર કૃષ્ણ શાષાી નો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પૂજય ધીરેન્દ્ર કૃષ્ણ શાષાી હિન્દુ આઈકોન છે અને હાલમાં દેશભરમાં પ્રવાસ કરીને હિન્દુત્વનો ધ્વજ લહેરાવી રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશમાં તેમની હનુમાન કથા ચાલી રહી છે અને ત્યાંથી પણ તેઓ સમગ્ર દેશ અને દુનિયાને હિન્દુત્વનો સંદેશો પાઠવી રહ્યા છે.
રાજકોટમાં યોજાનારા પૂજય ધીરેન્દ્ર કૃષ્ણ શાષાીના સત્સંગ માં દોઢ લાખ જેટલા લોકો ઉમટી પડે તેવી ધારણા છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે.