Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વિછીયાના દેવધરીમાં ઝેરી જંતુ કરડી જતાં શંભુભાઇ મોલીયાનું મોત

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન સવારે દમ તોડયો

રાજકોટ તા. ૨૩: વિછીયાના દેવધરી ગામે રહેતાં શંભુભાઇ ટપુભાઇ મોલીયા (ઉ.વ.૫૨)ને પગમાં કોઇ ઝેરી જંતુ કરડી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.શંભુભાઇ ઘણા સમયથી પથારીવશ હતાં. ૨૧/૫ના રોજ તેમને પગમાં કોઇ જંતુ કરડી જતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ પાંચ ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે વિછીયા પોલીસને જાણ કરી હતી

 

 

(12:05 pm IST)