Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સુરતથી ભત્રીજીના લગ્નમાં રાજકોટ આવેલા રમેશભાઇ ચોૈહાણનું મોત

ગઇકાલે ભત્રીજીની જાનની વિદાય થયા બાદ રાતે બેભાન થઇ જતાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ મવડી રોડ વિનાયકનગરના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: સુરતથી રાજકોટ મવડી વિસ્‍તારમાં ભત્રીજીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પ્રોૈઢનું ભત્રીજીની જાન વિદાય થયા બાદ રાત્રીના બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારની ખુશી શોકમાં પરિણમી હતી.

જાણવા મળ્‍યા મુજબ સુરત કામરેજમાં આબરામા રોડ પર ઓમ ટાઉનશીપમાં રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં રમેશભાઇ મેરામભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૮) રાજકોટ મવડી પ્‍લોટ વિનાયકનગર-૯માં રહેતાં ભાઇની દિકરી મનિષાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્‍યા હતાં. ગઇકાલે ભત્રીજીની જાનને વિદાય અપાઇ હતી. બાદમાં રમેશભાઇને અમરેલી જવાનું હોઇ તે ભાઇના ઘરે વિનાયકમાં જ રોકાયા હતાં. રાત્રે અઢી વાગ્‍યે એકાએક તબિયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાતે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રમેશભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે. ચોહાણ પરિવારે રંગેચંગે દિકરીનો લગ્ન પ્રસંગ પતાવ્‍યો ત્‍યાં સ્‍વજનનું મૃત્‍યુ થતાં લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

(12:10 pm IST)