Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સગીરાના અપહરણના ગુનામાં સામેલ ધવલ ચૌહાણ પકડાયો

પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરથી દબોચ્‍યો

રાજકોટ તા. ર૩: શહેરના જામનગર રોડ વિસ્‍તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરવાના ગુનામાં સામેલ શખ્‍સને પ્ર.નગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ વિસ્‍તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ધવલ નામનો શખ્‍સ ભગાડી જતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. આ ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા પ્ર.નગર પોલીસ મથકના ઇન્‍ચાર્જ પી.આઇ. વી. એમ. મહિડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. એ. ખોખર સ્‍ટાફ સાથે આરોપીની શોધખોળ કરતા હતા. ત્‍યારે આ શખ્‍સ જામનગર રોડ પર હોવાની એ.એસ.આઇ. સી. એમ. ચાવડા, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને અનોપસિંહ ઝાલાને બાતમી મળતા ધવલ મનહરભાઇ ચૌહાણ (ઉ.વ. ર૮) (રહે. જામનગર રોડ પરસાણાનગર શેરી નં. ૭) ને જામનગર રોડ પરથી પકડી લીધો હતો. ધવલ સગીરાને ભગાડીને હરિદ્વાર લઇ ગયો હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.એસ.આઇ. એ. એ. ખોખર, બી. કે. ગોહિલ, એ.એસ.આઇ. સી. એમ. ચાવડા, કોન્‍સ. યુવરાજસિંહ, મહાવીરસિંહ, અશોકભાઇ, અનોપસિંહ ઝાલા, ધર્મેશભાઇ તથા ગૌતમભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:01 pm IST)