Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વાવડી ચોકી સામે ભારતનગરમાં મરાઠી પ્રૌઢ મનોજભાઇનો ફાંસો ખાઇ આપઘાત

માતાએ પુત્રને લટકતો જોઇ દેકારો મચાવ્‍યોઃ કારણ અકળ

રાજકોટ તા. ર૩: વાવડી પોલીસ ચોકી સામે ભારતનગરમાં રહેતા મહારાષ્‍ટ્રના પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ વાવડી પોલીસ ચોકી સામે ભારતનગરમાં આશાપુરા મંદિરની સામે રહેતા મનોજભાઇ રવિન્‍દ્રભાઇ પાટીલ (ઉ.વ. પ૦) એ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતા માતા બહારથી ઘરે આવ્‍યા ત્‍યારે પુત્રને લટકતો જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી પ્રજ્ઞાબેને તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા હેડ કોન્‍સ. જયદીપસિંહ ચુડાસમા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતક મનોજભાઇના પરિવારજનો મહારાષ્‍ટ્રમાં રહે છે. તે બે ભાઇમાં નાના હતા. તે અપરણીત હતા અને મેટોડામાં કારખાનામાં મજૂરી કામ કરતા હતા. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(4:10 pm IST)