Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

નિઃશુલ્‍ક આયુર્વેદિક સેવા સારવાર કેમ્‍પ

  બજરંગ મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણી તથા ડો. ધ્રુવીકભાઇ જસાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક સેવા સારવાર કેમ્‍પ યોજવાાં આવ્‍યો હતો. જેનું ઉદ્દઘાટન મેહુલભાઇ કોટેચાના હસ્‍તે કરાયુ હતુ. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે હિતેશભાઇ મહાદેવ, રજનીભાઇ સાતા, ચિરાગભાઇ ધામેચા, ડો. જે. ડી. ઉપાધ્‍યાય વગેરે ઉપસ્‍થિત રહેલ. બાન લેબ અને બજરંગ ટ્રસ્‍ટ તરફથી તમામ દર્દીઓને વિનામૂલ્‍યે દવાઓ આપવામાં આવેલ. સાથે જ યોજાયેલ એકયુપ્રેસર સારવાર કેમ્‍પમાં પ્રવિણભાઇ ગેરીયા, દિનકરભાઇ રાજદેવ, અરજણભાઇ પટેલ, રત્‍નાબેન મહેશ્વરી, દિનેશભાઇ આડેસરાએ સેવા આપી હતી. આ તકે સેવાભાવી અગ્રણી મેહુલભાઇ કોટેચાનું મોમેન્‍ટો આપી સન્‍માન કરાયુ હતુ.

(4:20 pm IST)