Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

સ્‍વિટઝર્લેન્‍ડમાં આરોગ્‍ય સભામાં ભાગ લેશે મનસુખ માંડવિયા

રાજકોટઃ સ્‍વિટર્ઝલેન્‍ડના જીનીવા ખાતે ૭૬ મી વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સભા યોજાનાર છે. જેમાં તા.ર૧ થી ૩૦ મે દરમિયાન ભારતના આરોગ્‍ય મંત્રી ડો.મનસુખ માંડવીયા ભાગ લઇ સંબોધન કરશે. તેઓ ત્‍યાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે. ત્‍યાંની દ્વિપક્ષીય બેઠકોમાં સીંગાપોર, નેધરલેન્‍ડ, ફ્રાંસ, અમેરીકા, બાંગ્‍લાદેશ, બ્રાઝીલ વગેરેના પ્રતિનિધિઓ સામેલ થશે. સાર્વત્રીક સ્‍વાસ્‍થ્‍ય એજન્‍ડામાં અગ્રસ્‍થાને છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાના મુદ્‌ાઓ પર પણ ચર્ચા થશે. વૈશ્વિક સ્‍વાસ્‍થ્‍ય સંરચના આધારીત મુદ્દાઓને આવરી લેવાશે.

(4:37 pm IST)