Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજકોટમાં કોરોનાથી થઇ રહેલા મોત અંગે ખાસ ઓડીટ કમીટીઃ બે દિ'માં રીપોર્ટ મેળવાશે

લોકો ગભરાય નહિં: માસ્ક પહેરે-સોશ્યલ ડીસ્ટન્સ જાળવેઃ કલેકટરની અપીલ

રાજકોટ તા. ર૩: રાજકોટમાં કોરોનાથી ધડાધડ મોત થઇ રહ્યા છે, ગઇકાલે મોડી સાંજ બાદ ૭ના મોત થતા હાહાકાર મચી ગયો છે, તેનાં આગલા દિવસોમાં પ થી ૬ ના મોત થયા હતા, લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

કલેકટરે આ બાબતે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટમાં થઇ રહેલા મોત અંગે ચોકકસ કારણો જાણવા ખાસ ઓડીટ કમીટી બેસશે, અને ૧ થી ર દિ'માં તે કમિટી રીપોર્ટ આપી દેશે.

કલેકટરે જણાવેલ કે લોકો ગભરાય નહિં, બીજું જરૂરી બહાર ન નીકળે, સોશ્યલ ડીસ્ટન્સ જાળવે, ફરજીયાત માસ્ક પહેરી, ખાસ કાળજી લ્યે તેવી અપીલ કરી હતી.

(3:47 pm IST)