Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પ્રશ્‍નો ઉકેલ અભિયાન ચૂંટણીલક્ષી નથી : પાટીલ

જીલ્લાના વન-ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્‍યક્ષતામાં સાધુ સંતો, વિદ્યાર્થીઓ, વકિલો, તબીબો, દિવ્‍યાંગો, શિક્ષકો, સહકારી આગેવાનો, એન્‍જીનીયરો સાથે બેઠક : સંવાદ યોજાયો

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ જીલ્લાના ‘વન ડે વન ડિસ્‍ટ્રીકટ' કાર્યક્રમ અંતર્ગત આજે હેમુ ગઢવી હોલમાં સવારે ૧૧.૧પ વાગ્‍યે દિવ્‍યાંગો, લાભાર્થીઓ શ્રમિકો સાથે બેઠક યોજી હતી તે વખતની તસ્‍વીરો. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. રર :.. રાજકોટ જીલ્લાના ‘વન-ડે વન ડિસ્‍ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત આજે  રાજકોટમાં સાધુ, સંતો, ધાર્મિક સંસ્‍થાઓ, સાહિત્‍યકારો, કલાકારો, શિક્ષકો, સહકારી આગેવાનો, ડોકટર, વકીલ, એન્‍જીનીયરો સાથે બેઠકો યોજાઇ હતી. આ બેઠકમાં શ્રી પાટીલે જણાવ્‍યું હતું કે ચૂંટણી આવે છે એટલે આ કાર્યક્રમ  કરાયા નથી. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાજયમાં કાર્યક્રમ યોજાઇ છે.  
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા આગામી વિધાનસભામાં ૧પ૦ બેઠકો મેળવવાના મિશન સાથે વન-ડે વન ડીસ્‍ટ્રીકટ કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે રાજકોટ ખાતે બેઠકો યોજાઇ રહી છે. સી. આર. પાટીલ ગોંડલનો કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ આવી પહોંચ્‍યા છે. સવારે ૮ વાગ્‍યાથી સાંજે ૪ સુધી વિવિધ કાર્યક્રમો તેણે યોજયા છે.
ગુજરાતમાં વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઇ શકે તે માટે ભાજપે માઇક્રોટ પ્‍લાનીંગ કર્યુ છે. પ્રવાસ, સંપર્ક અને બેઠક મુળમંત્ર સાથે સંગઠનને વધુને વધુ સંગઠિત કરવાના ધ્‍યેય સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમગ્ર રાજયના ૩૩ જિલ્લાઓમાં ‘વન-ડે વન ડીસ્‍ટ્રીકટ' કાર્યકરમ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જો અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આજે રાજકોટમાં કાર્યક્રમ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે રાજકોટના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે. તે જ રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશકિતકરણ કરી રહ્યા છે. જેના ભાગરૂપ રાજકોટમાં ભાજપનો વન-ડે વન ડિસ્‍ટ્રીક કાર્યક્રમ યોજાશે.
આ દરમિયાન તેઓ રાજકોટ જિલ્લામાં ભાજપની (બીજેપી) સ્‍થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં બુથ અને પેજ સમિતિની પણ સમીક્ષા કરી હતી.
રાજકોટ ખાતે સવારે ૮ કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ સર્કિટ હાઉસ ખાતે શુભેચ્‍છકોને મળ્‍યા બાદ ૧૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સાધુ, સંતો, સાહિત્‍યકારો, ધાર્મિક સંસ્‍થાઓના પ્રતિનિધીઓ ૧૧.૧પ કલાકે વિદ્યાર્થીઓ, શ્રમિકો, દિવ્‍યાંગો સાથે, ૧ર.૩૦ કલાકે શિક્ષકો, નિવૃત અધિકારીઓ કર્મચારીઓ સાથે જયારે ર.૩૦ કલાકે સહકારી આગેવાનો, સરપંચો સાથે સ્‍વામીનારાયણ મંદિરના સભાખંડમાં કાલાવડ રોડ ખાતે સંમેલન યોજાયુ હતું. ૪ કલાકે વકીલો, તબીબો, બિલ્‍ડર્સ, વેપારીઓ, ઇજનેરો સાથે બેઠક યોજવામાં આવી હતી.

 

(3:31 pm IST)